
કોલકાતા, 16 ફેબ્રુઆરી: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલીએ જણાવ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના મેચને મોટું માનવું ખોટું છે. પાકિસ્તાનની ટીમ ભારત સામે ખૂબ જ નબળી છે. છેલ્લા ઘણા વર્ષોથી મેચનો પરિણામ ભારતના હિતમાં રહ્યો છે.
સૌરવ ગાંગુલીએ ખાસ વાતચીતમાં જણાવ્યું, “ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમોમાં ઘણો ફરક છે. ભારતીય ટીમ ખૂબ જ મજબૂત છે. બેટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગ દરેક ક્ષેત્રમાં ટીમ ઈન્ડિયા પાકિસ્તાનથી વધુ મજબૂત છે. ટીમનું શિસ્ત પણ સારું છે.”
તેઓએ ઉમેર્યું, “ભારત-પાકિસ્તાન વચ્ચેનો મેચ હવે મોટો મેચ નથી રહ્યો. તેને મોટું માનવું હવે યોગ્ય નથી. જાવેદ મિયાંદાદ, સૈદ અનવર, વસીમ અક્રમ અને ઇંજમામ ઉલ હકના સમયમાં પાકિસ્તાનની ટીમ મજબૂત હતી અને તે સમયે મેચ ટક્કરવાળા હતા. હવે ભારત-પાકિસ્તાન મેચમાં અગાઉની વાત નથી રહી. મારા મતે, હાલના સમયમાં ભારત-પાકિસ્તાન નહીં, પરંતુ ભારત-ઓસ્ટ્રેલિયા, ભારત-દક્ષિણ આફ્રિકા અને ભારત-ઇંગ્લેન્ડના મેચ મોટા મેચ છે.”
ભારત-પાકિસ્તાનના ટી20 વિશ્વ કપ 2026ના ફાઈનલમાં ફરી એકવાર સામનો થવાની શક્યતા પર ગાંગુલીએ જણાવ્યું કે ક્રિકેટમાં કંઈપણ શક્ય છે, પરંતુ પાકિસ્તાનની હાલની સ્થિતિને જોતા, ફાઈનલમાં પહોંચવું મુશ્કેલ છે.
પાકિસ્તાન સામેના મેચમાં ગાંગુલીએ ઈશાન કિશન અને શિવમ દુબેની બેટિંગની પ્રશંસા કરી. બોલરોનાં યોગદાનની પણ પ્રશંસા કરી.
મેચની વાત કરીએ તો પાકિસ્તાનએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમે વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનના 40 બોલમાં બનાવેલા 77 રન, સુર્યકુમાર યાદવના 32, શિવમ દુબેના 27, અને તિલક વર્માના 25 રનની મદદથી 7 વિકેટ પર 175 રન બનાવ્યા હતા. પાકિસ્તાનની ટીમ 18 ઓવર માં 114 પર સિમટ ગઈ. હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ, અને વરુણ ચક્રવર્તી એ 2-2, જ્યારે કુલદીપ યાદવ અને તિલક વર્માએ 1-1 વિકેટ લીધી.
ઈશાન કિશન પ્લેયર ઓફ ધ મેચ રહ્યા.
–
પીએકે